
By Valsad
દમણ મ્યુનિસિપલ કોર્પોરેશને ખારીવાડ વિસ્તારમાં આઈસ ફેક્ટરી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડી છે. આ મસ્જિદનું બાંધકામ સર્વે નંબર 539/2 અને 3 પર કરવામાં આવ્યું હતું.
પાલિકાએ 4 એપ્રિલના રોજ મકાન માલિકને નોટિસ પાઠવી હતી. મસ્જિદનું બાંધકામ પાલિકાની પૂર્વ પરવાનગી કે લાયસન્સ વગર કરવામાં આવ્યું હતું. વધુમાં, ઈમારતના પ્લોટમાં FSI (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ)નું પણ ઉલ્લંઘન થયું હતું.
નોટિસ બાદ પણ મસ્જિદના સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. મકાન માલિક દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબો પણ પાલિકાને સંતોષકારક ન લાગતા, આખરે JCBની મદદથી મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પાલિકાએ ઈમારતના રહેવાસીઓને 15 દિવસની અંદર મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ગેરકાયદે ઈમારતને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દમણ મ્યુનિસિપલ કોર્પોરેશને ખારીવાડ વિસ્તારમાં આઈસ ફેક્ટરી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડી છે. આ મસ્જિદનું બાંધકામ સર્વે નંબર 539/2 અને 3 પર કરવામાં આવ્યું હતું.
This story was originally published in divyabhaskar.co.in.